ઈતિહાસ આરસીમાં પેટલાદનું પ્રતિબીંબ

સંવત ૧૬૯૭ માં શહેનશાહ ઔરંગઝેબ પેટલાદમાં આવ્યો હતો. જેણે વસનદાસ પાટીદારને ‘‘ પટેલ ‘‘ નો ઈલકાબ આપ્યા હતા. ત્યારબાદ સમગ્ર ગુજરાતનો મહેસુલ ઉઘરાવવા માટે વસનદાસની નિમણુંક કરવામાં આવી હતી. સોલંકી કાલીન બાદ સુલતાનો સમયમાં પેટલાદ ગુજરાતનો જિલ્લો ગણાતો હતો. જેમાં ર૭૬ જેટલા ગામોમાં સમાવેશ થતો હતો. સમગ્ર ગુજરાતમાં સૌથી આવક આપનાર પેટલાદ નગર ગણાતુ હતું. આ ૧૬ માં સૈકા વખતે નગરમાં કિશોર પારેખની વાવ અને તેના બે પાળીયા જેવા યાદગાર સ્થળો બન્યા હતા. સંવત ૧૭૧૯ થી ૧૭૪૮ દરમ્યાન સમગ્ર ભારત દેશ માટેની વ્યવસ્થા અને વહીવટી બાબતો પેટલાદનો રહીને ભારતના શહેનશાહ તરીકે ઔરંગઝેબના શાહઝાંદા મૌહમ્મદ આઝમશાહે કરી હતી. સંવત ૧૭પ૩ સુધી ગુજરાતમાં ફકત બે જ લશ્કરી વ્યુહાત્મક મથકો હતા. જેમાં અમદાવાદ અને પેટલાદનો સમાવેશ થતો હતો. સંવત ૧૭૭૮ થી ૧૭૮૮ દરમ્યાન છત્રપતિ શિવાજીના સુબા પિલાત્ત્રાવ ગાયકવાડે પ્રાંતનો પાયો પેટલાદથી નાંખ્યો હતો.

ત્યારથી મરાઠા યુગનો આરંભ થયો હતો. આ સૈકા દરમ્યાન નગરમાં રામનાથ મહાદેવ, રામનાથ કુંડ, સિકોતર માતા ની વાવ , જેવા ધાર્મિક સ્થળો બન્યા હતા. જેનું મહત્વ આજે પણ સવિશેષ છે. વખતો વખત જતાં નગરનો વહિવટ અને મહેસુલ અમીન કસ્યાભાઈએ રૂ. ૯ લાખમાં રાખ્યો હતો. ત્યારબાદ, ૧૮૩૭ થી ૧૮૪૭ સુધી પેટલાદનો વહિવટ વસોના વણારસીદાસના વંસજોમાંથી ભવાનીદાસે કર્યો હતો. ૧૮પર થી કાળીદાસની પાંચમી પેઢીના દાદાભાઈએ અને તે પછી તળસીભાઈએ આ નગરનો વહિવટ કર્યો હતો. સને ૧૮પર ની આસપાસ પેટલાદમાં પાજરા પોળ બની હતી. જેની કામગીરી આજે પણ પ્રસંશનીય છે. સમય જતાં પેટલાદ તાલુકો ચરોતરનું મુખ્ય મથક ગણાતું હતું. રાજયના જિલ્લામાંથી તાલુકા મથક બનેલા પેટલાદ તાલુકામાં ૧૦૪, ગામોમાં સમાવેશ હતો. ત્યાર પછી ૮૦ જેટલા અને હાલ પ૭ જેટલા ગામડાઓનો સમાવેશ થાય છે. પેટલાદમાં સને ૧૮૭૩ માં પરીખ ચ. કે. પુસ્તકાલયની સ્થાપના થઈ હતી. જયારે સને ૧૮૭૬ માં નગરપાલિકાની સ્થાપના થઈ હતી.

Recent comments